Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ધોરાજીના ખેડૂતોને પડ્યા પર પાટુ :ધુમ્મસભર્યા વાતાવરણને કારણે રવિ પાકમાં રોગચાળો

ઘઉં, ધાણા અને જીરુંના પાકમાં ચર્મી નામના રોગને કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ

ધોરાજીના ખેડૂતોને પડ્યા પર પાટુ વાગ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી ધુમ્મસભર્યા વાતાવરણને કારણે રવિ પાકમાં રોગચાળો ત્રાટકતા જગતના તાતની હાલત કફોડી બની છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘઉં, ધાણા અને જીરુંના પાકમાં ચર્મી નામના રોગને કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ચોમાસુ પાક નિષ્ફળ જવાને કારણે પહેલેથી જ આર્થિક ફટકો વેઠી ચૂકેલા ખેડૂતોએ સારા ભાવની આશાએ વિવિધ રવિ પાકનું વાવેતર કર્યું હતું.

(11:50 pm IST)