Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જુનાગઢમાં કોરિયા પરિવાર મિલન સમારોહ યોજાયો

જુનાગઢ : શહેરમાં રહેતા સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના કોરિયા પરિવારનો મિલન સમારોહ અને વિશ્વકર્મા જયંતી ની ઉજવણી  સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ હિતવર્ધક મંડળ, શાંતેશ્વર મંદિર સામે, જોષીપરા ખાતે કરાઈ હતી.  તેમાં પરીક્ષાનો તણાવ દૂર કરો વિશે જસ્‍મીનભાઈ કોરિયાએ અને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી અંગે ડૉ. સંજયભાઇ કોરિયાએ માર્ગદર્શન આપ્‍યું હતું. તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્‍માનિત કરી ઇનામ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. ઉપરાંત ધોરણ ૧ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓને ફુલસ્‍કેપ ચોપડા આપી પ્રોત્‍સાહિત કરાયા હતા. આ તકે આગેવાનો કિરીટભાઈ કોરિયા, સુરેશભાઈ કોરિયા, ડાયાભાઈ કોરિયા, વાલજીભાઈ જેઠવા અને ભગવાનજીભાઈ વાળાની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગીતાબેન અને નિકિતાબેન કોરિયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા અલ્‍પેશભાઈ કોરિયા, રમેશભાઈ કોરિયા, હરેશભાઈ કોરિયા, અરુણભાઈ કોરિયા, નરેશભાઈ કોરિયા અને માર્કંડભાઈ કોરિયા વગેરે યુવા ટીમે ખાસ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે સમૂહ ભોજનનું આયોજન રાખેલ હતું.  (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(12:11 pm IST)