Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

માધવપુરમાં રૂક્ષ્મણી વિવાહના મેળા સંદર્ભે દબાણ હટાવ કામગીરી સામે સ્થાનિકોમાં રોષની લાગણી

દબાણો દૂર કરવાની કાર્યવાહીને પગલે દરિયાઈ પટ્ટી પાસે વસતા લોકોની મુશ્કેલી

પોરબંદરમાં માધવપુરમાં રૂક્ષ્‍મણી વિવાહ મહોત્સવને લઈ મેળો યોજાય છે. જોકે આ વખતે આ મેળાનું રાષ્ટ્રીય કક્ષાએ આયોજન થઈ રહ્યું છે. અને આ મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી હાજરી આપે તેવી શક્યતાઓ વર્તાઈ છે. માધવપુર મેળાના આયોજનને લઈ તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે દરિયાઈ પટ્ટીમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. દબાણો દૂર કરવાની કાર્યવાહીને પગલે દરિયાઈ પટ્ટી પાસે વસતા લોકોની મુશ્કેલી વધી છે.

(10:13 pm IST)