Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

પોરબંદરની ૧ બોટનું ૬ માછીમારો સાથે અપહરણ

જખોૈ જળસીમા નજીક ફિશીંગ કરતી લક્ષ્મીરાજ નામની બોટને પાક મરીને આંતરીને ઉપાડી ગયા

 પોરબંદર તા.૯: જખોૈ કચ્છ જળસીમા પાસે પાકિસ્તાન દ્વારા વારંવાર અશાંતિના પ્રયાસમાં ગઇકાલે વધુ એક પોરબંદરની લક્ષ્મીરાજ નામની ફિશીંગ બોટને ૬ માછીમારો સાથે અપહરણ કરી ગયેલ છે.

 

જખોૈ જળસીમાની અંદર ઘુસી જઇને પાકિસ્તાન મરીન અવારનવાર ભારતીય બોટોના માછીમારો સાથે અપહરણ કરી જાય છે.

લાંબા સમયના આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. માછીમાર સંગઠનો આ પ્રશ્ને અનેક વખત ભારત સરકારને રજુઆતો કરી છે.

કેટલીક વખત પાક મરીન સિકયુરિટી ભારતીય બોટ ઉપર ફાયરીંગ કરીને અપહરણ કરીને કાળો કેર વર્તાવે છે.(૧.૩૪)

(2:53 pm IST)