Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

પ સંતાનોના લગ્ન ન થતા ચુડાનાં કોરડામાં પિતાનો આપઘાત

ચુડા તાલુકામાં પ મહિનામા ૩ ખેડૂતોએ મોત મીઠુ કર્યુ

વઢવાણ, તા.૯:-ચૂડાના કોરડા ગામના ગજાભાઈ સાલસરાએ છ સંતાનોમાં ૫ સંતાનોની સગાઈ નહીં થતા ખેતરમાં જઈને કપાસમાં છાંટવાની ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ હતું.

 

ચૂડા તાલુકાના કોરડા ગામે ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ સહિત રહેતા ૪૫ વર્ષના ગજાભાઈ ભીમાભાઈ સાલસરા થોડા સમયથી મુંઝવણમાં જીવન પસાર કરી રહ્યા હતા. જેનું મુખ્ય કારણ તેમના છ સંતાનોમાં મોટી પુત્રી જાગૃતિબેનના લગ્ન થયા હતા. પરંતુ બાકી પાંચેય સંતાનો વિપુલભાઈ, ગોવિંદભાઈ, બહાદુરભાઈ, રસીલાબેન, શિતલબેનની લગ્ન લાયક ઉંમર થવા છતાં પણ કયાંય સગાઈ નહીં થતા ગજાભાઈ સાલસરા સતત માનસિક તનાવ ભોગવી રહ્યા હતા. ત્યારે ૮ ફેબ્રુઆરીએ સવારે પોતાના ખેતરે જઈને કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લઈને આત્મહત્યા કરી લીધી હતી. આપદ્યાતના સમાચાર સાંભળી ઘર પરિવારના સભ્યો પર આભ તૂટી પડ્યો હતો.

પરિવારના સભ્યોએ દ્યટનાની જાણ કરતા પીએસઆઈ આર.જે.ગોહીલ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગજાભાઈએ સંતાનોની સગાઈ ન થતી હોવાથી આત્મહત્યા કર્યાનું તેમના ભાઈએ જણાવ્યું હતું. ચૂડા તાલુકામાં પાંચ માસમાં ત્રણ ખેડૂતોએ આપઘાત કર્યા છે જેમા તા. ૨૯-૯-૧૮ના શંકરભાઈ ઝરમરીયા (વેજળકા)તા ૨-૧-૧૯ના ઘનશ્યામભાઈ મીઠાભાઈ (ચૂડા)તા. ૮-૨-૧૯ ગજાભાઈ સાલસરા (કોરડા)એ આપઘાત કરી લીઘો હતો.(૨૨.૯)

(2:54 pm IST)