Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

વાંકાનેરમાં મોરબી હાઇવેરોડ પર ટ્રક હડફેેટેે મજુર રાજેશ સાગઠીયાનું મોત

તસ્વીરમાં અકસ્માતમા ંમોતનેભેટેલ મજુરનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર મહમદ રાઠોડ)

 વાંકાનેર તા ૯ : વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ નજીક  બોર્ડીગરોડ ઉપર ગત રાત્રે ટ્રન્સપોર્ટમાં મજુરી કરતા રાજેશ કરશનભાઇ સાગઠીયા (ઉ.વ. ૨૫) વાંકાનેરવાળાને કોઇ અજાણ્યા ભારે વાહન -ટ્રકવાળાએ હડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

મળતી વિગતો મુજબ ગઇ મોડી રાત્રે ભારત ટ્રાન્સપોર્ટમાં મજુરી કરી, તેઓના કુટુંબનું ગુજરાન ચલાવતો રાજેશ મજુરી કરી અનો હાઇવે પર અન્ય સ્થળેમજુરી પર ગયેલ ત્યારે બોર્ડીગ રોડ પર કોઇ ભારે અજાણ્યા વાહને તેના ઉપર ટ્રક ફેરવી દેતા તેનું માથુછુંદાઇ ગયેલ અને ઘટના સ્થળે જતેનું મૃત્યું થયું હતું. જે ઘટનાની જાણ ૧૦૦ નંબર પોલીસ જાનને થતા, આ લાશનો કબજો લઇ, પી.એમ. માટેહોસ્પીટલે પહોંચાડેલ. આ બનાવની તપાસ પોલીસ જમાદાર નારણભાઇ લાવડીયા ચલાવે છે.(૩ે.૬)

(11:45 am IST)