Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

સ્વાઇન ફલુએ ભાવનગરમાં વધુ એકનો ભોગ લીધોઃ મૃત્યુઆંક ૩૬

 ભાવનગર તા.૯: ભાવનગરમાં સ્વાઇન ફલુ થી વધુ એકનું મોત નિપજયું હતું. આ સાથે ભાવનગરમાં સ્વાઇન ફલુથી મૃત્યંુઆંક ૩૬ થયો છે.

ભાવનગરમાં સ્વાઇન ફલુથી રોજ-રોજ મૃત્યુનાં બનાવોએ ચિંતાની લાગણી ફેલાવી છે. ચાલુ સીઝનમાં જ સ્વાઇન ફલુનાં કુલ ૧૪૬ પોઝીટિવ કેસો નોંધાયા છે જયારે ૩૬નાં મોત નિપજયા છે. આ આંકડો માત્ર સરટી. હોસ્પિટલનો જ છ. ખાનગી હોસ્પિટલે માં પણ સ્વાઇન ફલુનાં પોઝીટિવ કેસો અને મૃત્યુંના બનાવો બનવા પામ્યા છે.

દરમ્યાન ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સ્વાઇન ફલુને કારણે તળાજા તાલુકાનાં જુની છાપરીવાળી ગામે રહેતી ૬૫ વર્ષની મહિલાનું મોત નિપજયંુ છે.

હાલમાં સર ટી. હોસ્પિટલમાં સ્વાઇન ફલુ પોઝીટિવનાં ૨૦ દર્દીઓ સારવાર લઇ રહયા છે.(૧.૬)

(10:29 am IST)