Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

પોરબંદરના રાણા રોજીવાડામાં જુના મનદુઃખથી એકબીજા ઉપર ત્રિકમ અને પાઇપ વડે હુમલો : પ ઘવાયા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૯ : બગવદર તાબાના રાણારોજીવાડામાં જુના મનદુઃખથી બઘડાટીમાં એકબીજા ઉપર ત્રિકમ અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા કુલ પ વ્યકિતઓને ઇજા થયેલ છે. આ બનાવમાં સામસામી પોલીસ ફરીયાદ નોંધાઇ છે. રાણારોજીવાડામાં ખેતરના શેઢા પાડોશી મોહનભાઇ દેવાભાઇ અને તેના ર પુત્રો કુલદીપ અને સંદીપનેને વાલાભાઇ પબાભાઇએ ખેતરની જમીનમાં હાથલાના ઝાડી ઝાંખરા નહીં નાખવુ કહેતા પિતા તથા ર પુત્રો ઉશ્કેરાઇ જઇને લોખંડના વજનીયા-પાઇપ વડે હુમલો કરેલ અને ઇજા કરેલ તેની પોલીસ ફરીયાદ બગવદર પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

સામે પક્ષેથી જુનું મનદુઃખ ચાલ્યું આવતુ હોય સરપંચના પુત્રએ સમાધાન કરાવતા હતાં તે દરમિયાન આરોપી વાલા પરાભાઇ અને તેના પુત્ર કપીલ બન્ને એકસંપ કરીને ત્રિકમ વડે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. આ બઘડાટીમાં બન્ને પક્ષના થઇ કુલ પાંચ વ્યકિતઓને ઇજા થયેલ છે. પોલીસે બનાવમાં સામસામી ફરીયાદ નોંધવીાને તપાસ હાથ ધરી છે.

(12:03 pm IST)