Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ધોરડોના સફેદ રણમાં શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પોર્ટના ચેરમેનોની ચિંતન શિબિર

આગામી ૨૧ થી ૨૩ જાન્યુ. દરમ્યાન દેશના ૧૨ મહાબંદરોના ચેરમેન અધિકારીઓ જોડાશે

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૯ : કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિ માં કચ્છના વિખ્યાત સફેદરણ મધ્યે ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. તા.૨૧ થી તા.૨૩ જાન્યુઆરી દરમ્યાન ધોરડો મધ્યે યોજાનાર આ ચિંતન શિબિર મધ્યે દેશના ૧૨ મહાબંદરોના ચેરમેન અને અધિકારીઓ જોડાશે. અત્યારે દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા આ ચિંતન શિબિર માટેનું આયોજન ગોઠવાઈ રહ્યું છે. હાલના તબક્કે ૩૪ ટેન્ટ પણ બુક થઈ ચૂક્યા છે.

(11:54 am IST)