Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સૂત્રાપાડાની ઘરફોડી અંગે ગીરગઢડાનો સુરજ પકડાયો

વેરાવળ-પ્રભાસપાટણઃ ગીર સોમનાથ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ગૂન્હાનો ભેદ ઉકલેવા અને ઘરફોડ ચોરીના ગુનાની આરોપીઓને પકડી પાડવા જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનિન્દર પ્રતાપસિંહ પવાર ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. વી.આર. રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.જેચૌહાણ તથા એ.એસ.આઇ. એ.જી.પરમાર તથા કે.ડી.હડીયા તથા પો.હેડ. કોન્સ. એન.જે.પટાટ તથા પી.જે.વાઢેર તથા આર.જે. ગઢીયા તથા એસ.એસ.ડોડીયા તથા પો.કો.ઉદયસિંહ તથા ડ્રા.પો.કોન્સ. વીરાભાઇ ચાંડેરા વગેરે શાખાના માણસો પેટ્રોલીંગમાં હોય દરમ્યાન હકીકત આધારે (૧) સુરજ ઉર્ફે સર્યાભાઇ કાનજીભાઇ વાઘેલા રહે. ગીરગઢડા તથા તેની સાથેરહેલ કીશોર પાસેથી મોબાલઇ  સહિત કુલ રૂ.૩૧૪ર૦/- નેમુદામાલ મળી આવતા જે બાબતે  વિરોધ ગામે મકાનમાંથી ચોરી કરેલની કબુલાત આપતા સુત્રપાડા પો.સ્ે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦ ૬ર૧૦૩૩/ર૦ર૦ આઇ.પી.સી.ક.૩૮૦,૪પ૭ મુજબ ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ થયેલ છે.

(11:47 am IST)