Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દામનગરમાં સીએએ કાયદાનું માર્ગદર્શન અપાયુ

દામનગર : દામનગર શહેર ભાજપ દ્વારા આજરોજ ભાજપ દ્વારા નાગરિકતા કાયદો સંશોધન ૨૦૧૯ અંતર્ગત જન જાગૃતિ અભિયાન  દામનગર ગામે મીટીંગ રાખવમાં આવી હતી જેમાં લોકોને નાગરિકતા સંશોધન કાયદા ની સાચી માહિતી અને જાણકારી આપી હતી અને સાથે સાથે ગામના લોકો એ ૮૮૬૬૨ ૮૮૬૬૨ નંબર પર મિસકોલ કરેલ હતા જેમાં ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી  બાવકુભાઈ ઉંધાડ,ભાજપ શહેર પ્રમુખ પ્રિતેશ નારોલા,તાલુકા, મહામંત્રી શતિષ ગિરિ ગૌસવામી, ધીરૂ ભાઈ નારોલા , બાદલ ભાઈ ભટ્ટ, કિશોર ભાઈ ભટ્ટ, ભરત ભાઈ ભાસ્કર, પંકજ ભાઈ, સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો અને દરેક સમાજ ના લોકો ઉપસ્થિતરહ્યા હતા. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિમલ ઠાકર)

(11:56 am IST)