Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જસદણ કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજાનો હુકમ

જસદણ તા ૯  : જસદણમાં ચીતલીયા કુવા રોડ ઉપર રહેતા ખેડુત આગેવાન અજયભાઇ ઉકાભાઇ છાયાણીને અંગત વ્યવહાર સાચવવા પૈસાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ હતી,જેથી તેના ખાસ મિત્ર અને લાતીપ્લોટ વિસ્તારમાં હેન્ડીગ્રાફટનો વ્યવસાય કરતાં હિતેશભાઇ મેરામભાઇ હણ પાસેથી રૂા છ લાખ પુરા ૨૦૧૬ની સાલમાં ઉછીના લીધેલ હતા. આ પૈસા તેઓને સમયસર પરત મળે તે માટે થઇ એસ.બી.આઇ. બેન્ક જસદણ શાખાનો ચેક રૂા છ લાખ પુરા આપેલ હતા., જે ચેક હિતેશભાઇ તેના એચ.ડી.એફ.સી. બેન્ક જસદણના ખાતામાં જમા કરાવતા સદરહું ચેક બેંકમાં પુરતુ બેલેન્સ ન હોવાથી વગર સ્વીકારયે પરત આવેલ હતો. જેથી હિતેશભાઇએ તેમના વકીલ શ્રી ભરતભાઇ અંબાણી મારફત નોટીસ આપેલ હતી. જે નોટીસ અજયભાઇને મળી છતાં સમય મર્યાદામાં ચેકની રકમ ચુકવેલ ન હતી., જેથી જસદણ ચીફ જયુ. મેજી. કોર્ટમાં ફરીયાદ નોંધાવવામાં આવેલ હતી.

જસદણ કોર્ટમાં સને ૨૦૧૭ની સાલથી લાંબી કાનુની લડત ચાલેલ હતી અને અજયભાઇ દ્વારા પુરાવો રજુ કરી અનેક તકરારો ઉપસ્થિત કરવામાં આવેલ હતી અને ચેક ખોટી રીતે લખાયેલો છે. નોટીસ મળેલ નથી, ફરીયાદી વ્યાજવટાવનો ધંધો કરે છે, જેવા અનેક વાંધાઓ રજુ કરવામાં આવેલ હતા. ફરીયાદી પક્ષના વકીલશ્રી દ્વારા સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટ રજુ કરી કાયદાકીય રજુઆતો કરેલ હતી. જે વિગતો અને દલીલો ધ્યાને લઇ જસદણના ચીફ. જયુ.શ્રીચાચુએ અજય ઉકાભાઇ છાયાણીને એક વર્ષની કેદની સજા તથા  છ લાખનો દંડ કરેલો હતો. આ દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલો છે. ફરીયાદ પક્ષે વકીલ તરીકે ભરતભાઇ અંબાણી, ભાવેશભાઇ ડાભી, મનસુખભાઇ ડાભી, કુલદીપભાઇ જાદવ રોકાયેલ હતા.

(11:49 am IST)