Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દ્વારકામાં રઘુવંશી સમાજ દ્વારા ભાગવત સપ્તાહનો પ્રારંભ પોથીયાત્રા નીકળી

દ્વારકા : અહિના રઘુવંશી સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે  જેમાં કાલે સાંજે દ્વારકાધીશ મંદિરેથી વાજતે-ગાજતે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી પોથીયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીને કથા સ્થળે પહોંચી હતી આ શોભાયાત્રા શારદાપીઠ પટાંગણમાંથી પુજન વિધિ કરીને શહેરના રાજમાર્ગે પર લઇ ગૌશાળા કથાસ્થળે પહોચીહતી દ્વારકાના જ કથાકાર ચેતનભાઇ સાતા સપ્તાહનું રસમય શૈલીમાં અમૃત પાન કરાવશે. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજનાં લોકો ઉમટી પડયા હતા ભાગવત સપ્તાહમાં ૩૩ જેટલી પોથી રાખવામાં આવી છેતસ્વીરમાં શોભાયાત્રામાં જોડાયેલ રઘુવંશી સમાજ તથા શહેરીજનો નજરે પડે છે.(તસ્વીરઃ વિનુભાઇ સામાણી

(11:47 am IST)