Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કાલે જામજોધપુર ધુનડા સતપુરણધામ આશ્રમે પોષી પુનમ પર્વે પુ.જેન્તિરામબાપાનો સત્સંગ

સૌરાષ્ટ્ર ગુજરાત મુંબઇ સહિતના પ્રાંતમાંથી ભાવિકો ઉમટશે

જૂનાગઢ તા. ૯: જામજોધપુરથી ૨૧ કિ.મી.ના અંતરે આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમે આગામી તા. ૧૦ જાન્યુ.ને શુક્રવારના રોજ પોષીપુનમ નિમિતે રાત્રે ૯ કલાકે  પુ.જેન્તિરામબાપાના સત્સંગનો કાર્યક્રમ રાખેલ છે.

જેમાં પુ.જેન્તિરામ બાપા પોષી પુનમનુ સત્સંગ દ્વારા મહત્વ સમજાવશે તેમજ આજના તનાવભર્યા જીવનમાં મનુષ્ય શાંતિ મેળવવા મથી રહ્યો છે. ત્યારે આ આધી વ્યાધી અને ઉપાધીના ત્રિવીધ તાપમાં મુકત થઇ અધ્યાત્મ માર્ગે કેમ આગળ વધવુ અને સદગુરૂએ આપેલ નામ અને ધ્યાન સમાધી યોગમા આગળ વધી સત આનંદમય જીવન કેવી રીતે જીવાય તેમજ નિરાકરણ સ્વરૂપથી સાકાર સ્વરૂપની યાત્રા કેમ થાય તેનુ અનુભગત માર્ગદર્શન આપશે અને મોહ માયા હું અને મારૂ છોડી બધુ ભગવાનને સોંપી પ્રભુને અર્પણ કરી સત્સંગનાના માધ્યમથી શાંતિ પદની પ્રાપ્તી સરળ અને સહજ રીતે કેમ થાય અને સમપર્ણ ભાવ કેમ ઉત્પન્ન થાય તે જણાવશે.

આ અવસરે સૌરાષ્ટ્ર કચ્છ અમદાવાદ મુંબઇ સહિતના પ્રાંતોમાથી સત પરિવારના સત્સંગીઓ ઉપસ્થિત રહેનાર હોય જેને ધ્યાને લઇ આવાસ નિવાસ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામા આવેલ છે.

(11:40 am IST)