Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

લોધીકાના પારડીમાં માનસીક બીમારીથી કંટાળી રમેશભાઈ મકવાણાનો ઝેરી પાઉડર પી આપઘાત

રાજકોટ, તા. ૯ :. લોધીકાના પારડીની વેલનાથ સોસાયટીમાં રહેતા યુવાને માનસીક બિમારીથી કંટાળી ઝેરી પાઉડર પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ પારડી ગામના વેલનાથ સોસાયટીમાં રહેતા રમેશભાઈ લાલજીભાઈ મકવાણા (ઉ.વ. ૪૫) ગઈકાલે ગામમાં ઝેરી પાઉડર પી ઘરે આવી પોતે દવા પી લીધી હોવાનું કહેતા પરિવારજનોએ તાકીદે સારવાર માટે દોશી હોસ્પીટલમાં ખસેડાયા હતા, ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. મૃતક રમેશભાઈએ માનસીક બિમારીથી કંટાળી પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. આ અંગે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. સૂર્યકાંતભાઈ અને રાઈટર અરૂણભાઈએ પ્રાથમિક કાગળો કરી શાપર-વેરાવળ મોકલ્યા છે.

(11:31 am IST)