Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

તન્મયી મૈયાજી અને આચાર્ય ધર્મવિજયજી કાલે વાંકાનેર પધારશે

લાઇફ મશીન પરિવાર દ્વારા ધર્મસભા

વાંકાનેર તા.૯ : વાંકાનેર લાઇફ મીશન પરિવાર દ્વારા પૂ.સદગુરૂ દેવ શ્રી રાજર્ષિમુનીજીના નવા સન્યસ્ત દિક્ષીત શિષ્યા સન્યાસીની પૂ.તન્મયી મૈયાજી તથા આચાર્ય શ્રી ધર્મવિજયજી ગુરૂવારે બપોરે ૨.૩૦ અઢી વાગ્યે વાંકાનેર પધારી રહ્યા છે. ત્યારે તેમના દિવ્ય પ્રવચન ધર્મસભાનું અત્રેના રામચોકમાં આવેલ શ્રી બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળામાં આયોજન કરવામાં આવ્યુ છે.

રાજ રાજેશ્વર ધામ-જાખણ (લીંબડી) લાઇફ મીશનના પ્રણેતા પ.પૂ.સદગુરૂદેવ શ્રી રાજર્ષિ મુનીજી દ્વારા તા.૧૪-૭-૨૦૧૮ના પાવન દીને જસોલ ઠીકાના (રાજસ્થાન) રાઠોડ રાજવંશના દિકરી કુમારી અનુરાધાકુવરજીને સન્યસ્ત દિક્ષા આપવામાં આવેલ અને દિક્ષા ગ્રહણ ખબાદ નામકરણ થયેલ જે સન્યાસીની તન્મયી મેયાજી કરવામાં આવ્યુ છે. તેવા આ મૈયાજી અને આચાર્યજી વાંકાનેર પધારી રહ્યા છે. ત્યારે વાંધાનેર લાઇફ મીશન પરિવારમાં હર્ષની લાગણી સાથે તેના  પ્રવચન, સન્માન, સામૈયાની તડામાર તૈયારીઓનો મંગલાચાર્યજી (ફતેસિંહ જાડેજા)એ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવેલ છે. રાજવંશના દીકરી રાજર્ષિમુનીજીના શિષ્યા એવા પૂ.તન્મયી મૈયાજી અને આચાર્ય ધર્મવિજયજી વાંકાનેરના આંગણે પધારી રહ્યા છે ત્યારે બપોરે માર્કેટ ચોક પાસેથી ધર્મભકિત સાથે પૂ.શ્રી નું સામૈયુ કરી વાજતે-ગાજતે ધર્મસભા સ્થળે બ્રાહ્મણ ભોજન શાળાએ પહોચશુ જયા પૂ.તન્મયી મૈયાજીનું દિવ્ય પ્રવચન થશે જેમાં લાઇફ મીશન ઉપરાંત જુદીજુદી સંસ્થાના અગ્રણીઓ ભાવીકો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને પ્રવચનનો લાભ લેશે.(૭.૭)

(11:58 am IST)