Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ધુનડાના સતપુરણધામ આશ્રમે રાત્રે પુનમ નિમિતે પૂ. જેન્‍તિરામ બાપાનો સત્‍સંગ તેમજ સંતવાણીનો કાર્યક્રમ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમે આજે રાત્રે ૮ કલાકે પૂ. જેન્‍તીરામબાપાનો સત્‍સંગ તથા સંતવાણી મહાપ્રસાદનુ આયોજન કરાયું છે.

જેમાં પૂ. જેન્‍તીરામબાપા આજના તનાવ  ભર્યા જીવનમાં સ્‍વસ્‍થ અને પ્રસન્‍ન અને આનંદરમય જીવન કઇ રીતે જીવવુ તેમજ ગુરૂકૃપાથી નિરાકાર સ્‍વરૂપથી સાકાર સ્‍વરૂપની યાત્રા કેમ થાય તેનું અનુભવ ગત માર્ગદર્શન આપશે તેમજ રાત્રે ૧૦ કલાકે  સંતવાણીના કાર્યક્રમમાં મંગલ રાઠોડ, જયશ્રીબેન પંડયા, સવદાસભાઇ ગાગલીયા સહિતના કલાકારો જમાવટ કરશે આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી સત પરિવારના સત્‍સંગીઓ ઉપસ્‍થિત રહેનાર હોય જેને ધ્‍યાને લઇ પૂ. બાપાના માર્ગદર્શન હેઠળ આશ્રમના વ્‍યવસ્‍થાપક હસમુખભાઇ શીલુ, રાજેશભાઇ, હિતેષભાઇ, કમલેશભાઇ, સતિષભાઇ પરમાર સહિતના દ્વારા સુંદર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ છે.

(12:13 pm IST)