Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જામનગર જિલ્લામાં સશષા સેના ધ્‍વજદિનની ઉજવણી

દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ થવા કલેકટરનો અનુરોધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૮: આપણા જવાનો દેશસેવાની ભાવના અપનાવી લડાઈના મોરચે પોતાના પ્રાણની પરવા કર્યા વિના પોતે બધા જ દુઃખો ભોગવી આપણને સ્‍વતંત્રતાનું સુખ આપવા તત્‍પર રહે છે. ત્‍યારે આવા વીર જવાનો અને શહીદોના નિરાધાર પરિવારોની યોગ્‍ય કદર કરવા અને તેઓની સાથે એકાત્‍મતા સાધવા તેમજ માજી સૈનિકો અને તેમના પરિવારોના કલ્‍યાણ અને પુનર્વસવાટની યોજનાઓમાં મદદ કરવા ‘સશષા સેના ધ્‍વજદિન' આપણને એક અનેરો અવસર પુરો પાડે છે. ‘સશષા સેના ધ્‍વજદિન' દર વર્ષે તા.૦૭ ડિસેમ્‍બરના રોજ રાષ્ટ્રીય સ્‍તરે સંપુર્ણ ભારત દેશમાં ઉજવવામાં આવે છે. જે ઉજવણીનો જામનગર જિલ્લામાં પણ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ શુભારંભ કરાવ્‍યો હતો અને દેશ માટે બલિદાન આપનારા સૈનિક પરિવારોને મદદરૂપ થવા ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ કર્યો હતો.ᅠ

સશષા સેના ધ્‍વજદિનની ઉજવણી હેઠળ એકઠો થયેલો આ ફાળો માજી સૈનિકો, સ્‍વર્ગીય સૈનિકોની ધર્મપત્‍નીઓ અને તેઓના પરિવારજનોના હિતાર્થે સરકારશ્રી દ્વારા ધડાયેલા નીતિ નિયમો મુજબ ઉપયોગમાં લેવાય છે, આથી જામનગર જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી તેમજ જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ અધિકારી કમાન્‍ડર સંદીપ જયસ્‍વાલ (નિવૃત)ની સર્વેનેᅠ ઉદાર હાથે ફાળો આપવા માટે અપીલ છે. આ ફાળો હાથોહાથ રોકડમાં અથવા ચેક/ડિમાન્‍ડ ડ્રાફટથી “AFFD FUND A/C COLL. & PRE. D S W AND R O, JAMNAGAR ના નામનો બનાવીને જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, લાલ બંગલો, જામનગરમાં જમા કરાવવાનો રહે છે. અથવા અત્રેની કચેરીના સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા, લાલ બંગલો બ્રાન્‍ચના ખાતા નં. ૩૩૩૭૭ ૨૩૬૩૨૦ (આઈ એફ સી કોડ : SBIN0060119) માં કોર બેંકીંગથી જમા કરાવીને તેની જાણ જિલ્લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરને કરવી. સરકારી પહોંચ આપવામાં આવશે. તેમજ સશષાસેના ધ્‍વજદિન માટેનો ફાળો વર્ષ દરમિયાન કોઇપણ દિવસે ૩૧ માર્ચ પહેલાં જમા કરાવી શકાય છે. વધુ વિગત માટે કચેરીના ફોન નંબરઃ ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક કરી શકાશે.(

(10:41 am IST)