Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

તળાજાના જૂની કામરોલ વાડી વિસ્‍તારમાં દીપડાએ વાછરડીનું મારણ કર્યું

ભાવનગર તા. ૮ : તળાજા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રાની પશુઓ વસવાટ કરે છે. જેમાં સિંહ દીપડાએ પશુઓના મારણ કર્યા હોવાના અનેક બનાવો બની ચૂક્‍યા છે. ખાસ કરીને તળાજા તાલુકાના શેત્રુંજીના કાંઠા વિસ્‍તારમાં વધુ પડતા દેખાદેતા હોય છે.

તળાજા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શેરડીના પાકમાં પણ સિંહ દીપડા રહેણાંક જમાવતા હોય છે તેવી જ રીતે જૂની કામરોલ ગામે રાત્રી દરમિયાન વાડી વિસ્‍તારમાં નરેન્‍દ્રસિંહ સતુભા સરવૈયાની વાડી પાસે વાછરડાનું દીપડાએ મારણ કર્યું હતું. આ બનાવને લઇને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જૂની કામરોલ ગામના ખેડૂત આગેવાન દિલીપસિંહ સરવૈયાએ જણાવ્‍યું હતું કે, બનાવને લઇને ખેડૂતો વાડીમાં જતા ડર અનુભવે છે.

(10:31 am IST)