Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે શુક્રવારે મોક્ષ યજ્ઞ.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના સદગતોના મોક્ષાર્થે મચ્છુ માતાના મંદિરે આગામી શુક્રવારના રોજ મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
આગામી તારીખ 9-12-2022 ને શુક્રવાર ના રોજ ઝુલતા પુલ દુર્ઘટનાને 40 દિવસ પૂરા થશે.આ કારમી દુર્ઘટના એ આપણી વચ્ચેથી 135 થી વધારે ભાઈઓ બહેનોને છીનવી લીધા , અત્યંત દુઃખદ અને ક્યારે ભૂલી ન શકાય તેવો બનાવ છે.
આ દિવ્યાંગોતોના આત્માના મોક્ષાર્થે તારીખ 9-12-2022 ને શુક્રવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન દરબારગઢ મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. યજ્ઞના આચાર્ય પદે ધર્મેન્દ્રભાઈ જોશી રહેશે. આ વેળાએ કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહેશે. તેમજ વોર્ડ નંબર 5ના વર્તમાન તથા પૂર્વ વિવિધ સમાજના તેમજ એસોસિએશનના આગેવાનો, મોરબી શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(10:27 pm IST)