Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ઉપલેટામાં ડો. બાબા સાહેબના ૬૨ માં નિર્વાણ દિને શ્રધ્ધાંજલી સમારંભ યોજાયો

ભા.જ.પ. કોંગ્રેસ દલીત આગેવાનોની હાજરીમાં શ્રધ્ધાસુમન

ઉપલેટા તા ૮ : અહિંયા બસ સ્ટેન્ડ ચોકમાં આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેઓના ૬૨ માં નિર્વાણ દિન નિમીતે એક શ્રધ્ધાંજંલી સમારંભનું આયોજન નગરપાલિકાના સદ્સ્ય ધર્મેશ ભાયાની આગેવાનીમાં કરવામાં આવેલ હતું

આ સમારંભમાં શહેરના ભા.જ.પ., કોંગ્રેસ અનો દલીત આગેવાનોએ હાજરી આપી ડો. બાબા સાહેબની ૬૨ માં નિર્વાણદિને તેઓને શ્રધ્ધાંશુમન આપી તેઓએ બંધારણ અને દલીત સમાજ માટે કરેલ કાર્યવાહીને બિરદાવેલ હતી.

આ શ્રધ્ધાંજલી સમારંભમા નગરપાલિકા પ્રમુખ દાનાભાઇ મચગુડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઇ ડાંગર, ધવલ માકડીયા, રણુભા જાડેજા, આરતીબેન માંકડીયા, રેખાબેન મકવાણા, મયુર સુવા, હરસુખ સોજીત્રા, બાબુભાઇ ડેર, પીઠામુળુ, ભુપતભાઇ કનેરીયા, રઘુભા સરવૈયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહીને ડો. બાબા સાહેબને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. (૩.૨)

(11:52 am IST)