Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મીઠાપુર ભીમ આર્મી દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના ૬રમાં નિર્વાણ દિવસ નિમિતે મૌન રેલી

મીઠાપુરઃ ઓખામંડળ તાલુકાના મીઠાપુર ખાતે ભારતરત્ન ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સાહેબના ૬રમાં નિર્વાણ દિવસ નિમિતે ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા એક મૌન રેલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મૌન  રેલી સુરજકરાડીમાં આવેલી આંબેડકર સોસાયટીના આંબેડકર ભવનથી સુરજકરાડીમાં આવેલી ઓખાનગર પાલીકાની પેટા કચેરી સુધી ાખવમા આવી હતી. આ મૌન રેલી બાદ સુરજકરાડીમાં આવેલી આ ઓખાનગરપાલીકાની પેટા કચેરીમાં ડો. બબાસાહેબનો ફોટો મુકી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ખુબજ શિસ્ત પૂર્વક અને શાંતિથી આ બધું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનિક ભીમ આર્મીના આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. (તસ્વીરઃ અહેવાલઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)(૬.૧૨)

 

(11:42 am IST)