Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સાવત્થી તીર્થધામમાં મંગળવારે નવ્વાણુ પ્રકારી મહાપુજા એવં પટ્ટદર્શન મહોત્સવ

પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય જિનચન્દ્રસુરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં અમદાવાદ હાઇવે સ્થિત

જામનગરઃ અમદાવાદ હાઇવે સ્થિત સાવત્થી તીર્થધામમાં મંગળવાર તા.૧૨ના રોજ પૂ.આ.શ્રીમદ્ વિજય જિનચન્દ્રસુરીશ્વરજી મ.સા.ની પાવનનિશ્રામાં શ્રી આદિશ્વર દાદાની ભકિતમય શ્રી નવ્વાણુ પ્રકારી મહાપુજા તેમજ શ્રી સિધ્ધાચલજી, શ્રી ગિરનારજી તથા શ્રી સમ્મેતશિખરજીના પટ્ટદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

 આ પ્રસંગે પૂ. આ.ભ. જિનચન્દ્રસુરીશ્વરજી મ.સા. પોતાના પટ્ટઘરો પૂ. આ.ભ. શરદચન્દ્ર સુરીશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજ અજીત ચન્દ્રવિજયજી મ.સા. આદી મુનિગણ સાથે નિશ્રા પ્રદાન કરશે. કાર્યક્રમ સવારે ૯ વાગ્યાથી સાવત્થી તીર્થધામ, પો. બાવળા, નેશનલ હાઇવે ૮એ ખાતે શરુ થશેે. વધુ માહિતી માટે ફોન નં.૦૨૭૧૪-૨૩૨૬૧૨ તથા મો. ૯૮૨૪૦ ૧૦૩૩૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:52 am IST)