Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

જેતપુરના થાણાગાલોલ-અમરાપરમાં ગેરકાયદે ખનિજ ચોરી : કલેકટરને ફરીયાદ

રાજકોટ, તા. ૮ : જેતપુરના થાણાગાલોલમાં રહેતા સોનીભાઇ મકવાણાએ કલેકટરને ફરીયાદ કરી થાણાગાલોલ તથા અમરાપર ગામની સીમની વચ્ચે ગેરકાયદેસર ખાણ ખોદી પથ્થર કાઢી ખનિજ ચોરી કરતા હોય તેમની સામે સખ્ત કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

અમો અરજદાર થાણાગાલોલ મુકામે ગાલોરીયા નદીના કાંઠે ખોડીયાર માતાજીના મંદિર પાસે ખેતીની જમીનમાં રહીએ છીએ અને ખેતીકામ કરી અમોનું તથા અમોના પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. આ થાણાગાલોલ તથા અમરાપર ગામની સીમમાં આવેલ ગૌચરની જમીનમાં માથાભારે શખ્સો કોઇપણ જાતની લીઝ કે પરવાનગી મેળવ્યા વગર છેલ્લા ઘણા સમયથી આ ગૌચરની જમીન ખોદીને તેમાંથી પથરાઓ કાઢે છે. આ લોકો આ ગૌચરની જમીનમાં બોરવેલથી દાર કરતા હોય અને જમીનમાં બ્લાસ્ટીંગ કરતા હોય આજુબાજુના લોકોની જાનનું જોખમ રહેલુ છે.

આ અગાઉ વર્ષ-ર૦૧રમાં આ માથાભારે લોકો આ જમીનમાં આવી રીતે બ્લાસ્ટીંગ કરતા હોય તેનાથી અમોની ગાયના વાછરડાનું અવસાન થયેલ હતું તથા જે તે સમયે અમો અરજદારના હાથમાં પણ પથ્થર લાગવાથી ગંભીર ઇજા થયેલ હતી. આથી તાકીદે પગલા ભરવા માંગણી છે.

(11:48 am IST)