Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

અમરેલીના બાબરામાં વધુ એક ખેડૂતે ખેતરમાં ઝેરી દવા પી કર્યો આપઘાત

અમરેલી જિલ્લામાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે થોડા દિવસોમાં એક બાદ એક ચાર ખેડૂતોના આપઘાતથી ચકચાર મચી છે. અપૂરતા વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં આર્થિક સંકડામણ અનુભવતા ખેડૂતો જીવ ગુમાવી રહ્યાં છે.

  બાબરાના ખાખરીયાના ખેડૂત ધીરુભાઈ કાચેલાએ દિવાળીના દિવસે જ ઝેરી દવા પીને મોતને વ્હાલું કર્યું હતું  વહેલી સવારે ખેતરમાં કામ કરવા જવાના બહાને ઘરેથી નીકળી ગયા. અને ખેતરમાં જઈને જીવન ટુંકાવી દીધું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:46 pm IST)