Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોરબીના વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલનું મોત થતા સંસ્થાઓએ અંતિમ વિધિ કરી.

વૃદ્ધાશ્રમના સંચાલક દ્વારા વડીલના સગાને ફોનથી જાણ કરવામાં આવી પરંતુ સમય નથી તમારી રીતે વિધિ કરી નાખો તેવો જવાબ મળ્યો

મોરબીના વૃદ્ધાશ્રમમાં વસતા વડીલનું આજરોજ કૈલાશ વાસ થયેલ હોય ત્યારે મોરબીની સેવાભાવી સંસ્થા દ્વારા જ્ઞાતિના રીવાજ પ્રમાણે વડીલની અંતિમ વિધિ કરવામાં આવી હતી

વૃદ્ધાશ્રમમાં વર્ષ ૨૦૦૩ થી ભૂદેવ પરિવારના વડીલ રહેતા હોય જેઓનું આજે અવસાન થયું હતું અને વૃદ્ધાશ્રમના સંચાલક દ્વારા વડીલના સગાને ફોનથી જાણ કરવામાં આવી હતી પરંતુ સમય નથી તમારી રીતે વિધિ કરી નાખો તેવો જવાબ મળ્યો હતો જેથી શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ પ્રહલાદભાઈ અને તેની ટીમ દ્વારા વડીલની અંતિમ વિધિ કરવામાં આવી હતી બ્રાહ્મણ જ્ઞાતિના રીવાજ પ્રમાણે તેમની અંતિમ વિધિ કરી હતી જે પ્રસંગે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના ઉપપ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી સહિતના ઉપસ્થિત રહયા હતા.

(1:01 am IST)