Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

કેશોદના અજાબ અમર ધામ આશ્રમ ના મહંત શ્રી ચંદ્ર કિરણ દાસ ગુરૂ શ્રી કરશનદાસબાપુ (પરબ) નુ અવસાન

(કિશોરભાઈ દેવાણી દ્વારા ) કેશોદ :::રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બિમારી  સબબ સારવાર લઈ રહેલ અજાબ અમર ધામ આશ્રમ ના મહંત શ્રી ચંદ્ર કિરણ દાસ ગુરૂ શ્રી કરશનદાસબાપુ (પરબ) નુ ગઈકાલે રાજકોટ અવસાન થતા તેમનો પાથિૅૈવ દેહને અજાબ લાવવામાં આવેલ આજ રોજ મહંતશ્રીનો પાર્થિવ દેહ અમરત્વ મા વિલીન થયેલ છે.

     આજે તેમના શોક મા અજાબ ગામ ના તમામ વેપારી મિત્રો એ શ્રધ્ધાંજલી રૂપે પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખેલ અને દિવ્ય આત્મા ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમની પાલખી યાત્રા બપોર બે વાગ્યા પછી નિકળી હતી. તેમને ચાર વાગે સમાધી સનાતની ધર્મ ની પરંપરા વિધી વિધાન સાથૈ અમરધામ અજાબ ખાતે રાખેલ છે. 

      જાણવા મળ્યા મુજબ દિવંગત મહંતશ્રી અજાબ આશ્રમમાં અન્નક્ષેત્ર ચલાવતા હતા. તેમને કિડની અને ફેફસાની બીમારી હતી તેઓ જૂનાગઢ ખાતે મહા શિવરાત્રી મેળામાં પણ અન્નક્ષેત્ર ચલાવતા હતા.

(4:15 pm IST)