Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ખેડૂતોને કોઇપણ પ્રકારના દાખલા મેળવવા માટે મુશ્કેલી નહીં પડે : બ્રીજેશભાઇ મેરજા

તલાટી કમ મંત્રીઓના મહામંડળ સાથે હકારાત્મક સંવાદ કરતા શ્રમ અને રોજગાર મંત્રી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮ :  જન આશીર્વાદ યાત્રા દરમિયાન ખેડૂતોના પ્રશ્નો સાંભળીને શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશભાઇએ જણાવેલ કે હાલ ખેડૂતોને મગફળી ખરીદીમાં ઓનલાઇન પ્રક્રિયા માટે દાખલાઓની જરૂર પડતી હોય છે. તલાટી કમ મંત્રીઓના મહામંડળ અને હોદ્દેદારો સાથે પરામર્શ અને હકારાત્મક સંવાદ કરીને તેઓના પ્રશ્નો અંગે હૈયાધારણા આપીને કામકાજ શરૂ કરવા માર્ગદર્શન આપવામાં આવતા તલાટી કમ મંત્રીઓ કામ પર આવી ગયા છે અને ખેડૂતોને કોઇપણ પ્રકારની દાખલાઓ મેળવવામાં મુશ્કેલી નહીં પડે.

બ્રીજેશભાઇએ જણાવ્યું હતું. રાજય સરકાર જન હિતમાં લોકોના કલ્યાણ માટે કામ કરી રહી છે.

સંગઠનના પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પોરબંદરની મુલાકાત વેળાએ મંત્રીશ્રીની સાથે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયા, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયા, પંચાયતના જન પ્રતિનિધિઓ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:48 pm IST)