Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મુળીના ભવાનીગઢના પ્રભાબેનનું અછબડા નીકળ્‍યા બાદ મોતઃ રાજકોટમાં પોસ્‍ટમોર્ટમ

મહિલાને હૃદયની તકલીફ પણ હતીઃ કંઇક પી લીધાની શંકા

રાજકોટ તા. ૮: મુળીના ભવાનીગઢ    ગામે રહેતાં પ્રભાબેન હીરાભાઇ પરમાર  (ઉ.વ.૪૦) નામના કોળી મહિલાની તબિયત બગડતાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર અપાવી વધુ સારવાર માટે થાન લઇ જતી વખતે રસ્‍તામાં બેભાન થઇ જતાં મોત નિપજ્‍યું હતું. પરિવારજનોના કહેવા મુજબ પ્રભાબેનને અછબડા નીકળ્‍યા હતાં અને બે-ત્રણ દિવસથી બિમાર રહેતાં હતાં. પરંતુ મોઢામાંથી ફીણ નીકળી ગયા હોઇ પોલીસને તેણીએ કંઇક પી લીધાની શંકા ઉપજતાં મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો છે.પ્રભાબેનના પતિ હીરાભાઇ ખેત મજૂરી કરે છે. તેણીને સંતાનમાં ત્રણ પુત્રી છે. આ બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

 

(11:43 am IST)