Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

જેતપુરમાં કાઠી-રાજપુત ક્ષત્રીય સમાજદ્વારા કોરોના વોરીયર્સોનું સન્‍માન

જેતપુર તા. ૮: કોરોના કાળમાં જેમણે પોતાના સ્‍વાસ્‍થયની ચિંતા કે પરીવારની ચિંતા કર્યા વગર કોઇપણ નાત-જાતના ભેદભાવ વીના કોરોનાના દર્દીઓની સેવા કરેલ તેવા વિરલાઓનું સન્‍માન કરવાનો કાર્યક્રમ સુર્યદેવ મંદિર ધારેશ્‍વર ખાતે યોજાયેલ જેમાં પૂર્વમંત્રી જયેશભાઇ રાદડીયા, જુના સુરજદેવળ સોનગઢના મહંત દિલીબાપુ રામદયાલદાસ બાપુ (જીથુડીવાળા) ચાંપરડાવાળા બાપુના શીષ્‍ય, ઇન્‍દ્રભારથી બાપુના સભ્‍ય સહિત સંતો મહંતો સમાજના શ્રેષ્‍ઠીઓ ઉપસ્‍થિતિ રહેલ જેમાં પોતાના મકાનને હોસ્‍પીટલ બનાવી દર્દીનારાયણની સેવા કરનાર જેઠુરભાઇ વાળા તેમજ ગોંડલ ધારાસભ્‍ય જયરાજસિંહના પુત્ર ગણેશભાઇ સહિતનું સન્‍માન કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા રણધીરસિંહ ક્રિષ્‍નસીંહ પરમાર, ડી. ડી. જાડેજા, ઉમેદસીંહ ગોહિલ, મહાવીરસિંહ ચુડાસમા, જગુભાઇ તોરણીયાવાળા, ધર્મેન્‍દ્રસિંહ બસીયા, વનરાજભાઇ ખુમાણ, મનાભાઇ ધાધલ, વિક્રમભાઇ ખોયા, અજયભાઇ ખુમાણ, બીટુભાઇ જેબલીયા અશોકભાઇ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:36 am IST)