Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ટંકારા તથા ધ્રુવનગરમાં જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત : લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં ખરા ઉતરીશું

 ટંકારા : તાલુકાના ધ્રુવનગર ગામે મોરબીથી આવેલ જન આશીર્વાદ યાત્રાનું રાજવી પરીવારના ધ્રુવકુમારસિંહજી જાડેજા દ્વારા સ્વાગત કરાયેલ. મંત્રીશ્રી અરવિંદભાઈઙ્ગ રૈયાણી , સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયાને હાર તોરા કરાયેલ જન આશીર્વાદ યાત્રાઙ્ગ સાથે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, બાવનજીભાઇ મેતાલીયા ,મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગ્યા , માજી ચેરમેન મગનભાઇ વડાવીયા તથા આગેવાનોના સ્વાગત કરાયેલ. ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા , પ્રભુલાલ કામરીયા, સંજયભાઈ ભાગ્યા, કાનાભાઈ ત્રિવેદી,રૂપસિંહ ઝાલા ,પ્રદ્યુમનસિંહજી, ઘનશ્યામસિંહ ઝાલા વિક્રમસિંહ, જયોતીસિંહ જાડેજા વિગેરે દ્વારા સ્વાગત કરાયેલઙ્ગ ધ્રુવકુમારસિંહજી જાડેજા દ્વારા સ્વાગત પ્રવચન કરાયેલ. ટંકારામાં જન આશીર્વાદ યાત્રાનું ભાજપના મહિલા કાર્યકરો દ્વારા સ્વાગત કરાયેલ. સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાએ જણાવેલ કે ભાજપમાં નાનામાં નાના કાર્યકર મંત્રી બની શકે છે અને લોકોની સેવા કરી શકે છે.મંત્રીશ્રી અરવિંદભાઈઙ્ગ રૈયાણી એ જણાવેલ લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂકયો છે અમે લોકોને અપેક્ષાઓ પૂરી કરવામાં ખરા ઊતરીશું. ટંકારા ખાતે કષ્ટભંજન હનુમાનજી પાસે જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરાયેલ. પ્રભુનગર મીતાણા ખાતે જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરાયેલ. માજી પ્રમુખ કેશુભાઈ રામાણી રૈયાણી કાનજીભાઈ વાગ્યા ભાગીયા સંજયભાઈ ભાગ્યા તથા ગ્રામજનો દ્વારા મંત્રીશ્રી અરવિંદભાઈ જાણીને રૈયાણીને મોરબી નગર દરવાજા નો મોમેન્ટો પેટ અપાય પેટ ભેટ અપાયેલ જન આશીર્વાદ યાત્રામાં ફેર ગ્રામ પંચાયતના સભ્યો સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્ય તથા હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહેલ.

(11:34 am IST)