Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મોરબીની સિવિલ હોસ્પિટલમાં PSA ઓક્સીજન પ્લાન્ટ કાર્યરત કરાયો.

રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઈ રૈયાણી સાંસદ મોહનભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યા.

મોરબી :  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાષ્ટ્રવ્યાપી સામૂહિક પી.એમ. કેર્સ પીએસએ ઓક્સીજન પ્લાન્ટના ઇ-લોકાર્પણના ભાગરૂપે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે મોરબી ખાતે રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં ટાઉન હોલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦૦ લીટર પ્રતિ મિનીટનો psa પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો

આજે મોરબી પધારેલા મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ૧૮ સ્થળોએ લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો છે જેમાં મોરબી ખાતે પણ ઓક્સીજન પ્લાન્ટનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી અને જો ત્રીજી લહેર આવે તો તેની તૈયારીના ભાગરૂપે ઓક્સીજનની અછત ના સર્જાય તે માટે સરકારે પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જણાવ્યું હતું
તો મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક પ્રદીપ દુધરેજીયાએ જણાવ્યું હતું કે મોરબી સિવિલ ખાતે ૫૦૦ લીટર પર મિનીટ ઓક્સીજન પ્લાન્ટનું લોકાપર્ણ કરાયું છે અગાઉ ૧૦૦ લીટર પ્રતિ મિનીટ પ્લાન્ટ કાર્યરત હતો મોરબી સિવિલ ખાતે ૨૦૫ કોરોના આઈસોલેશન બેડ કાર્યરત છે જેથી દર્દીઓને ઓક્સીજન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે હાલ ૧૦૦ લીટર પ્રતિ મિનીટ અને ૫૦૦ લીટર પ્રતિ મિનીટ બંને પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે તો ઓક્સીજન કેવી રીતે બને છે તે અંગે પણ જણાવ્યું હતું કે હવામાં રહેલ ઓક્સીજન ખેચીને બાદમાં તેનું મશીન મારફત શુધ્ધિકરણ કરીને વધારાના વાયુ કાઢીને શુદ્ધ ઓક્સીજન જનરેટ થાય છે.

(10:01 pm IST)