Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

વાંકાનેર-જીનપરા ક્રિષ્ના ગરબી મંડળમાં સળગતા ગરબા સાથે બાળાઓની રાસની રમઝટ

 વાંકાનેર તા.૮: નવરાત્રી મહોત્સવ અંતીમ ચરણમાં પણ શહેરની જુદી જુદી ગરબી મંડળમાં આઠમા અને નવમાં નોરતાએ બાળાઓએ વિશેષ્ટ રાસ-ધાર્મિક,સામાજીક સમજણ આપતા નાટકો રજુ કર્યા હતા. જીનપરાના ગૌશાળા રોડ ઉપર આવેલ શ્રી ક્રિષ્ના ગરબી મંડળમાં નાની-નાની બાળાઓ દરરોજ માતાજીની ભકિત સાથે રાસ-ગરબા રમી માતાજીની આરાધના કરે છે ગઇ કાલે રાત્રે નવમા નોરતે આ ગરબીમાં દર વર્ષની જેમ ''સળગતા ગરબા'' માથા ઉપર ભીના કપડા રાખી આ ગરબીની બાળાઓ માથા ઉપર સળગતો ગરબા રાખી રાસ રમે છે.

ગરબી મંડળના સંચાલક મોરબી જીલ્લા કોળી સેના પ્રમુખ રમેશભાઇ મકવાણા અને આ ગરબી મંડળના તમામ કાર્યકરો આ સળગતા ગરબા રાસમાં બાળાઓની સાથે-સાથે રહીને સંપુર્ણ રાસમાં ગરબીને ફરતે રમે છે આ અદ્ભુત રાસને નિહાળવવા આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

આ ઉપરાંત જુદા જુદા માતાજીના ભુવાશ્રીઓ પણ સાકળ સાથે રાસ રમે છે અને માતાજીની આરાધના કરે છે.

(12:00 pm IST)