Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

ધોરાજીમાં ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂની સાયકલ રેલીનું સ્વાગત

 ધોરાજી : પોરબંદરથી રાજકોટ સુધી ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ દ્વારા યોજાયેલ સત્યના સારથી લોકજાગૃતિ અર્થે આવેલ રેલીનું ધોરાજી ખાતે ભવ્ય અભિવાદન થયું હતું. ધોરાજીના ઉપલેટા રોડ ખાતે સાયકલ રલીનું સ્વાગત ધારાસભ્ય લલીતભાઇ વસોયા, અબ્દુલભાઇ નાલબંધ, નગરપતિ ડી.એલ. ભાષા ધોરાજી બ્રહ્મ સમાજના યુવાનો પાટીદાર સમાજ, મુસ્લિમ સમાજ, વાલ્મીકી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સાયકલ રેલી ધોરાજીના મુખ્ય માર્ગો પર ફરી હતી. ધોરાજીના આઝાદ ચોક ખાતે માજી ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂએ જણાવેલ કે સાંપ્રત સમાજમાં લોકશાહી જેવું કોઇ અસ્તિત્વ નથી ત્યારે કોઇ અધિકારી કે રાજકીય લોકોને દોષ આપવાને બદલે સ્વયંમમાં બદલાવ લાવવો પડશે. સ્વયંમના બદલાવથી સમાજ બદલાશે. લોકો જાગૃત બને અને સારા ઉમેદવારોને ચૂંટી જનપ્રતિનિધિત્વ સોંપે તે જરૂરી છે. જ્ઞાતિવાદ-નીતિવાદ ભૂલી પક્ષા-પક્ષી ભૂલી સારા વ્યકિતને ચૂંટવા આવશ્યક છે. (તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા, કિશરો રાઠોડ-ધોરાજી)

(1:59 pm IST)