Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

મેંદરડામાં શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના જાગણી રથનું અદકેરૂ સ્વાગત

મેંદરડા તા.૮:  શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજના ૪૦ વર્ષની ઉજવણી ઉપલક્ષ્યમાં ભારતના રર રાજયોમાં ભ્રમણ કરી જાગણી રથ અહિંના શ્રીકૃષ્ણ અક્ષરાતીર્થ પ્રણામી મંદીરે આવી પહોંચતા આચાર્ય મહોદય ૧૦૮ શ્રી મોહનપ્રિય તેમજ અન્ય સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવેલ.

આ પ્રસંગે જાગણી રથના સ્વાગત માટે યુવાનો દ્વારા સુંદરરાય તથા માજી મંત્ર દેવાણંદભાઇ સોલંકીએ જાગણી રથને ચલાવીને મંદિરે લઇ આવેલ જયા ૧૦૮ મોહનપ્રિયા આચાર્યનું મંદિરે સ્વાગત કરવામાં આવેલ.

આગામી તા.ર૦ થી ર૬ નવેમ્બર સુધી  મેંદરડા મુકામે શ્રી પ્રાણનાથજી ચતુર્થ શતાબ્દિી મહોત્સવનું તેમજ શ્રી ભરતમ સાગરના ૧૦૮ પારાયણ  મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. (૧૧.૩)

(12:02 pm IST)