Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

જુનાગઢમાં પેટ્રોલ છાંટીને યુવાનનું અગ્નિસ્નાન

મજુરી કામ ન મળતા આપધાત કર્યો

જુનાગઢ તા.૮: જુનાગઢમાં હર્ષદનગરમાં રહેતો ઇમરાન ઓસમાણભાઇ ચોવટ (ઉ.વ.૨૮) ને છેલ્લા કેટલાક સમયથી મજુરી કામ મળતુ ન હોય તેથી બેકારીથી કંટાળી જઇને ગઇકાલે ઘરે પોતાના પર પેટ્રોલ રેડીને અગ્નિસ્નાન કરી લીધું હતું.

બી ડિવીઝન પોલીસ તપાસ ચલાવી રહી છે.(૧.૧૮)

(4:25 pm IST)