Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મોરબી મહંત કલ્યાણદાસબાપુના અસ્થિકુંભના દર્શન હરિહર ઉદાસીન આશ્રમ ખાતે કરી શકાશે.

 મોરબી :મહંત કલ્યાણદાસબાપુ ગુરુ સંતદાસ ગત્ત તારીખ 4 ઓગસ્ટના રોજ બ્રહ્મલીન થયા છે. તેઓના અસ્થિકુંભના અંતિમ દર્શન હરિહર ઉદાસીન આશ્રમ ખાતે કરી શકાશે.
હરિહર ઉદાસીન આશ્રમ (બડા અખાડા નવી દિલ્હી)ના પીપળી (મોરબી) અને કોઠારા-નલિયા (કચ્છ) સ્થિત મહંત કલ્યાણદાસબાપુનું પરલોકગમન થયું છે. જેઓ 1985થી હરિહર ઉદાસીન આશ્રમ પીપળી મોરબી ખાતે ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. સદગત મહંત કલ્યાણદાસ બાપુના અસ્થિકુંભ પીપળી-મોરબી ખાતે લાવવામાં આવ્યા છે. ત્યારે શિષ્ય સમુદાય અસ્થિ કુંભના અંતિમ દર્શન હરીહર ઉદાસીન આશ્રમ, આનંદ હોટેલ પાસે, ટીંબડી પાટીયા નજીક, કાવેરી સિરામિક સામે, નેશનલ હાઈવે, મોરબી ખાતે કરી શકાશે.

(11:51 pm IST)