Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ગોધરાથી અસ્થિ વિસર્જન માટે ચાણોદ આવેલા એક જ પરિવારના 3 યુવાનોના ડૂબી જવાથી મોત

ગોધરાથી અસ્થિ વિસર્જન માટે ચાણોદ આવેલા એક પરિવાર પર આભ ફાટ્યું; એક યુવકને જેમ તેમ કરીને બચાવાયો પરંતુ તે યુવકનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું

રાજ્યમાં વિવિધ જગ્યાએ દશામાની મૂર્તિનું વિસર્જન કરતા કેટલાક લોકોના ડૂબી જવાથી મોત થયા છે. ત્યારે પંચમહાલના ગોધરાના પરિવારના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત પરિવાર પર આભ ફાટ્યું છે.

ગોધરાથી અસ્થિ વિસર્જન માટે ચાણોદ આવેલા એક પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી ઘટના બની. ચાણોદ ખાતે નર્મદા નદીમાં એક જ પરિવારના 3 યુવાનો ડૂબી ગયા જેમાંથી એક યુવકને જેમ તેમ કરીને બચાવાયો પરંતુ તે યુવકનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ પરિવારના 3 યુવકો નર્મદા નદીમાં ન્હાવા પડયા. જેમાં નદીના વહેણમાં તણાઇ ગયા જેમાંથી એક યુવકની લાશ મળી અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત થઇ ગયું. જ્યારે ત્રીજા યુવકની શોધખોળ ચાલી રહી છે.

 

(11:00 pm IST)