Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ભાવનગર જિલ્લામાં ૩૭ નવા કેસ

ભાવનગર તા. ૮ : ભાવનગર જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૭૪૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૩ પુરૂષ અને ૯  સ્ત્રી મળી કુલ ૨૨ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના સારીંગપુર ગામ ખાતે ૧, મહુવા ખાતે ૪, મહુવા તાલુકાના રાતોલ ગામ ખાતે ૨, પાલીતાણા ખાતે ૧, તળાજા ખાતે ૩, તળાજાના થોરડી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે ૧, તળાજા તાલુકાના જસપરા ગામ ખાતે ૧ તથા ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારેઙ્ગ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૨ અને તાલુકાઓના ૧૪ એમ કુલ ૪૬ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.આમ જિલ્લામા નોંધાયેલા ૧,૭૪૯ કેસ પૈકી હાલ ૪૩૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧,૨૭૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૩૦ દર્દીઓનુ અવસાન થયેલ છે.(

(11:46 am IST)