Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

શિહોરના કનાડ ગામે પાણીનો ટાંકો ફાટતા બે ખેત મજૂર મહિલાના મોત

ભાવનગર તા. ૮ : ભાવનગર જિલલના કનાડ ગામે વાડીમાં પાણીનો ટાંકો ફાટતા કામ કરતી બે ખેત મજુર મહિલાઓના મોત નિપજ્યા છે.

આ કરૂણાંતિકાની મળતી વિગતો મુજબ સિહોર તાલુકાના કનાડ ગામે વાડીમાં પાણીનો ટાંકો ફાટતા વાડીમાં કામ કરતી લક્ષ્મીબેન જાંબુચા (ઉ.૩૬) અને મધુબેન બાંભણીયા (ઉ.૪૦) નામની બે ખેતમજુર મહિલાને ગંભીર ઇજા થતાં ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવથી ગામમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

(11:13 am IST)