Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

તળાજાના ખંઢેરા ગામે પત્નીની હત્યા

૧૭ વર્ષના લગ્ન જીવન દરમિયાન ઘરકંકાસ શરૂ રહેતા : હત્યારો પતિ દાઠા પોલીસ સમક્ષ પોપટ બની ગયો : પોલીસે યુવતીના ભાઇની લીધી ફરિયાદ

ભાવનગર તા. ૮ : તળાજા તાલુકાના અને દાઠા પોલીસ મથક નીચે આવતા ખંઢેરા ગામે બે દિવસ પહેલા ગળેફાંસો ખાઈ મહિલાનું મોત નિપજયાના બનાવ ની મહિલાના પતિ એજ પોલીસ ને જાણ કરી હતી. પોલીસે સ્થળ અને બોડીની તપાસ કર્તા હત્યા અંગેની શંકા ઉદભવી હતી. જેને લઈ તળાજા ડોકટર નો અભિપ્રાય મળતા પી.એમ.માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતની નોંધ કર્યાબાદ મહિલાનો પતિ જ હત્યારો હોવાની મહિલાના ભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

દાઠા પો.સ.ઇ મહેશ્વરી પાસેથી હત્યા અંગે મળતી વિગતો મુજબઙ્ગ સનેસ ગામે રહેતા નિલેશ દુલાભાઈ મેર ઉવ. ૩૭ એ દાઠા પોલીસ મથકમાં ખંઢેરા ગામે રહેતા બનેવી રૂખડ હમજીભાઈ વાળા વિરુદ્ઘ ફરિયાદી ની સગી બહેન કંચનબેન ઉવ.૩૬નેઙ્ગ બે દિવસ પહેલા રાત્રી દરમિયાન ઘર કંકાસના કારણે દોરડા વડે ગળે ટૂંપોદઈ મોત નિપજાવેલ.

ફરિયાદના પગલે પત્નીની હત્યાના આરોપી પતિ રૂખડ વાળાને પોલીસે અટકાયત કરેલ છે. પોલીસે ઉમેર્યું હતુંકેઙ્ગ દંપતીનો લગ્ન ગાળો સત્તર વર્ષનો હતો. ત્રણ સંતાનો છે. અવાર નવાર ઘર કંકાસને લઈ બંને વચ્ચે ઝઘડો થતો રહેતો હતો.જેનેઙ્ગ લઈ પરણીતા પિયર ચાલી ગઈ હતી. જે દોઢ માસ પહેલા જ ફરી ખંઢેરા ગામે પતિ સાથે રહેવા આવેલ. તેનો અંજામ ફરી કંકાસને લઈ હત્યામાં પરિણમ્યો. ઘર કંકાસના કારણે ક્રોધિત થયેલ પિતાએ ત્રણ સંતાનોને માં વગરના બનાવી દીધા. પોતે જેલમાં જશે જેને લઈ સંતાનો નોંધાર બની ગયા છે.

(11:12 am IST)