Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

મોરબી અને વાંકાનેરમાં કોરોનાના વધુ ૧૩ કેસ : ૧૫ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી,તા.૮ : મોરબી શહેર અને જીલ્લામાં આજે કોરોનાના વધુ ૧૩ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૫ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે

  મોરબીમાં નવા કેસોમાં મોરબીના વાદ્યપરા શેરી નં ૦૯ માં રહેતા ૫૦ વર્ષના મહિલા, વાવડી રોડ સોમૈયા સોસાયટીના રહેવાસી ૪૨ વર્ષના પુરુષ, મોરબીના શકિત પ્લોટ મહાવીર પેલેસના રહેવાસી ૪૧ વર્ષના પુરૂષ, શકિત પ્લોટ ૨ માં રહેતા ૩૯ વર્ષના પુરૂષ, મોરબીના ૩૧ વર્ષના પુરૂષ, પારેખ શેઈરના ૫૦ વર્ષીય પુરૂષ, કુબેરબાગના ૬૭ વર્ષની મહિલા, ઓમ પાર્કના ૫૫ વર્ષીય મહિલા, રોયલ પાર્ક નવલખી રોડના ૬૦ વર્ષના મહિલા, વાંકાનેરના હસનપરના રહેવાસી ૨૮ વર્ષીય મહિલા, મોરબીના વજેપર ૧૨માં રહેતા ૩૨ વર્ષના પુરૂષ, ઋષભનગર મોરબી-૨ માં રહેતા ૮૯ વર્ષના પુરૂષ અને વસંત પ્લોટ જયદીપ પાઉભાજી વાળી શેરીમાં રહેતા ૬૪ વર્ષના મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે

તો શુક્રવારે વધુ ૧૫ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે નવા ૧૩ કેસો સાથે કુલ કેસનો આંક ૪૫૦ થયો છે જેમાં ૧૫૩ એકટીવ કેસ, ૨૬૩ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે કુલ ૩૪ દર્દીના કોરોનાને પગલે મૃત્યુ થયા છે.

(11:44 am IST)