Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

વ્યંઢળના હસ્તે કરાશે ધ્વજવંદન

જુનાગઢ આઝાદ ચોક નજીક : ૧પમી ઓગષ્ટની મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા વિશિષ્ટ ઉજવણી કરાશે

જુનાગઢ તા. ૮ :.. જુનાગઢમાં આગામી તા. ૧પ ઓગસ્ટની મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા વિશિષ્ટ ઉજવણી થશે. જેમાં આઝાદ ચોક નજીક તા. ૧પ ઓગસ્ટના વ્યંઢળના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. જેમાં શહેરના સામાજીક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

જુનાગઢના મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષ સમાજના દરેક વર્ગને જોડી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગ્રુપ દ્વારા રાષ્ટ્ર ભાવનાના પ્રસાર માટે કબ્રસ્તાનથી લઇ મંદિર, ગીર જંગલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યા છે.

આગામી તા. ૧પ ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની વિશિષ્ટ ઉજવણી કરાશે. જેમાં આઝાદ ચોક નજીક પોલીસ સ્ટેશન અને ખાદી ગ્રામોદ્યોગનાં પટાંગણમાં વ્યંઢળના હસ્તે ધ્વજ વંદન થશે.

ગ્રુપના પ્રમુખ સલીમભાઇ ગુજરાતીએ જણાવ્યું હતું કે વ્યંઢળોને આપણા સમાજમાં મહત્વ આપવાની પરંપરા હાલ ભુલાઇ રહી છે ત્યારે વ્યંઢળ પણ સમાજના અભિન્ન અંગ હોવાની ભાવના ઉજાગર થાય તે હેતુથી તા. ૧પ ઓગસ્ટના વ્યંઢળના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

(3:46 pm IST)