Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જામનગરમાં રખડતા છ ખુંટીયાને પાંજરે પુરાયા :લોકોની અરજી બાદ તંત્ર જાગ્યું

જામનગર :શહેરમાં ઢોરોએ રાહદારીઓને નિશાને લેવાનું શરૂ કર્યા બાદ વારંવાર ફરિયાદો ઉઠયા બાદ આખરે તંત્રએ રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરી છે અને છ ખુટીયાઓને ઝડપી લીધા છે.

  જામનગરમાં રખડતા ઢોરનો બેફામ ત્રાસ છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરના ઝુંડ જોવા મળી રહ્યા છે.

  લોકોએ ઢોર પકડવા માટે અરજીઓ કરી અને થાકી ગયા બાદ અંતે તંત્ર હવે જાગ્યું છે. જામનગરના ઇન્દીરા માર્ગ ઉપર એક ટ્રેકટર સાથે ટીમ પહોંચી ગઇ હતી અને પાંચ-છ ખુટીયાઓ અને ગાયને પકડી કામગીરીની શરૂઆત કરી છે.

(12:07 pm IST)