Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

છેલ્લાં 18 વર્ષથી ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

 

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 18 વર્ષથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી રાકેશ મહેતાને બાતમીના આધારે ઝડપી લીધો છે

   ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક પી એલ માલએ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ,ડી એમ મિશ્રા,તથા એન,જી,જાડેજા પોલીસ સબ ઇન્સ,અને એલસીબીના સ્ટાફને  નાસતાં-કરતાં આરોપીને પકડી પાડવા સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાંશિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે શિહોર વડલાવાળા ખોડલમાંનાં મંદિર પાસે આવતા પો.કોન્સ,મિનાજભાઈ ગોરી,અને શક્તિસિંહને બાતમી ,મળેલ કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પો.સ્ટે,ગુ,,,233/2000,,પી,કો,કલમ 336,366મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી રાકેશ મહેતા રહે,મૂળ,બી,5 પુષ્પક સોસાયટી,ભાવનગર હાલ અમદાવાદવાળો શિહોર બસ સ્ટેશનના મેદાનમાં બસની રાહ જોતો ઉભો છે તેને પીળા કલરનું અને આડી કાલી લીઇનિંગવાળું ટીશર્ટ તથા ગ્રે કલરનું જીન્સ પહેરેલ છે

   આ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા રાકેશ વાસુદેવ મહેતા (ઉં, ૪૧)રહે,રૂમ ન,2 બ્લોક નં.૮, શિવાલય ઐપાર્ટમેન્ટ વિભાગ-૩,વેજલપુર, અમદાવાદ તથા મુળ-બી/૫,પુષ્પક સોસાયટી ભાવનગર વાળો હાજર મળી આવતા તેની પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હામાં અટક કરવાનો બાકી હોવાનું જણાવતા જેથી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીને શિહોર પોલીસ સ્ટેશને સોંપી આપેલ હતોઅને અંગે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં છે.

   આમ છેલ્લા અઢાર વર્ષથી ભરૂચ જિલ્લાંના અંક્લેશ્વર પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં ભાવનગર એલ.સી.બી. ટીમને મહત્વની સફળતા મળેલ છે.

સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો,ઇન્સ,ડી.એમ.મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ,મહિપાલસિંહ ગોહિલ,મિનાજભાઈ ગોરી,તરુણભાઇ નંદવા,શક્તિસિંહ ગોફિલ વિગેરે સ્ટાફનાં જોડાયા હતા

(9:30 pm IST)