Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

જામનગરના મહિલા અગ્રણી નિતાબેન પરમારની વડાપ્રધાન જન કલ્યાણકારી યોજનાના મહિલા વિભાગના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી

રાજકોટઃ જામનગર પંથકના મહિલા અગ્રણી નિતાબેન વજુભાઇ પરમારની પ્રધાનમંત્રી જન કલ્યાણકારી યોજનાના પ્રચાર-પ્રસાર વિભાગના રાષ્ટ્રીય મંત્રી જયઘોષ દ્વિવેદી દ્વારા ગુજરાત મહિલા વિભાગના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરતા જામનગર, ઓખા, દ્વારકા સહિતના પંથકમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.  નિતાબેન કાર્યદક્ષ મહિલા અગ્રણી તરીકે જાણીતા છે. તેઓની આ પસંદગીને દ્વારકા, ઓખા પંથકના અગ્રણી મનસુખભાઇ બારાઇ સહિતના આગેવાનો તથા વિવિધ ક્ષેત્રના લોકોએ આવકારી છે.

(9:45 pm IST)