Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ભાવનગર-અમદાવાદ હાઇવે ઉપર ખેતાખાટલી નજીક નિરમા કંપનીની બસ અને કાર વચ્ચે અકસ્માતઃ માસુમ બાળાનું મોત

કચ્છના ગાંધીધામમાં રહેતા સિંધી પરિવારનાં પાંચ સભ્યોને ગંભીર ઇજા

ભાવનગર, તા.૮: અમદાવાદ શોર્ટરૂટ પર આવેલ ખેતાખાટલી ગામ નજીક નિરમા કંપનીની બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કચ્છના ગાંધીધામમાં રહેતા સિંધી પરિવારનાં પાંચ સભ્યોને ગંભીર ઇજા તથા તમામને સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સાત વર્ષની બાળા વૃત્તિકા હિતેશભાઇ ચેતવાણીનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

ગાંધીધામમાં રહેતા સિંધી પરિવારના સભ્યો ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતા તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા બાળાનું મોત નિપજયું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત અન્ય ચાર વ્યકિતની સ્થિતિ પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.

(12:08 pm IST)