Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

જુનાગઢના યુવાનને સરકારી નોકરીની લાલચ આપી રૂ. ૩.ર૧ લાખનો વિશ્વાસઘાત

માણાવદરના પિતા-પુત્ર સામે ફરીયાદ

જુનાગઢ, તા., ૮:  જુનાગઢના નિકુંજ મનસુખભાઇ વાછાણી નામના યુવાનને સરકારી નોકરીની લાલચ આપી માણાવદરના બે શખ્સોએ રૂ. ૩.ર૧ લાખનો વિશ્વાસઘાત કર્યાનું બહાર આવેલ છે.

આ બનાવની વધુ વિગતો એવી છે કે નિકુંજ વાછાણીને માણાવદરના ગોકુલનગરમાં રહેતા હરસુખ માધાભાઇ મણવર અને તેના પુત્ર વિશાલે રૂ. ૬ લાખમાં સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપીને રૂ. ૩,ર૧ હજાર બે઼ક ખાતામાં જમા કરાવી લીધા હતા.

પરંતુ પિતા-પુત્રએ નોકરી ન અપાવી અને નાણા પણ પરત નહી કરીને વિશ્વાસઘાત -છેતરપીંડી કર્યાની ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:39 pm IST)