Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

મોરબીમાં પરપ્રાંતીય યુવાનનો આપઘાત

સીરામીક એકમમાં જનાવર કરડી જતા મજીર પરિવારની બાળકીનું મોત

મોરબી, તા.૮: મોરબીમાં પરપ્રાંતીય યુવાનનો ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો.

મળતી વિગતો મુજબ મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને મૂળ કર્ણાટકના મારુતિ ભાઈ પરશુરામભાઈ મરાઠા (ઉ.૨૪) વાળાએ ગત સાંજના સુમારે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

બીજા બનાવમાં મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીકમાં મજુરની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા જીવણભાઈ નાયકની દીકરી ભાવના (ઉ.૫) ઓરડીની આસપાસ રમતી હતી દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:39 pm IST)