Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કેનેડા સત્સંગ યાત્રાએથી પાછા ફરતા SGVP ગુરુકુલ રીબડાના સંતોનું સ્વાગત

અમદાવાદ તા. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થીઓ અને હરિભકતોના આગ્રહને માન આપી, કેનેડા દેશના ટોરન્ટો, વિનીપેગ, રજાઇના, એડમિન્ટન, કેલગરી, વાનકુંવર વગેરે રાજ્યોની ૩૦ દિવસ સુધી સત્સંગ યાત્રા કરી પાછા ફરતા SGVP ગુરુકુલ રિબડાના સંચાલક શા. ધર્મવત્સલદાસજી સ્વામી તથા સંગીતકાર દર્શનપ્રિયદાસજી સ્વામીનું પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તથા અન્ય સંતોઓ ભાવભર્યું સ્વાગત કર્યુ હતું.

    શા.ધર્મવત્સલદાસજી સ્વામીએ પોતાના કેનેડા પ્રવાસ-યાત્રા  દરમ્યાન શા.માધવપ્રિયદાસજી સ્વામી સાથે રહી પોતાના સત્સંગ યાત્રાના અનુભવો, હજારો એકરોમાં થતી આધુનિક ખેતી, મીઠા પાણીના હજારો સરોવરો, ત્યાંના લોકોનું અવિરત પ્રવૃત્તિમય જીવન તેમજ  ભારત કરતા કેનેડા વિશાળતામાં અને સ્વચ્છતામાં કેટલો ગળ છે તેની વિગતવાર વાતો કરી હતી.

સ્વામીજીએ અનેક સત્સંગ સભાઓ યોજી ભારતીય સંસ્કૃતિનો અને સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર  કર્યો હતો.

(2:37 pm IST)